પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે 114મી જન્મજયંતિ
Live TV
-
દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ તેમની જંયતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. શાસ્ત્રીજીનો જન્મ, 2 ઓકટોબર 1904માં ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. તેઓ 1964માં દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.
શાસ્ત્રીજીએ દેશના સ્વંતત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે, દેશને જય જવાન, જય કિસાનનો નારો આપ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ,અને ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ આજે શાસ્ત્રીજીની સમાધી, વિજય ઘાટ જઈને ,તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શાસ્ત્રીજીની સમાધિ ,વિજયઘાટ પર જઇને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને એક વીડિયો રજૂ કરીને શાસ્ત્રીજીના સૌમ્ય વ્યક્તિત્વ, કુશળ નેતૃત્વ અને અડગ નિર્ણય શક્તિની ,પ્રશંસા કરતા ,તેમને ભાવાજલિ આપી હતી.
