ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતીઃ PM મોદી-રાષ્ટ્રપતિએ રાજઘાટ પહોંચી શ્રદ્ધાંજલિ અર્પી
Live TV
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતી છે. આ નિમિતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગાંધી જયંતીના અવસરે વિશ્વભરમાં અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જંયતી પર બાપુને નમન કરતાં ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે આપણે ગાંધી જયંતીના 150માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે, ત્યારે પૂજ્ય બાપુના સપનાને પૂર્ણ કરવાનો આ સૌથી શ્રેષ્ઠ અવસર છે. આ અવસરે પ્રધાનમંત્રીએ એક વિડીયો રજૂ કરીને બાપુને શ્રદ્ધાંજલિ આપી.
