મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી નિમિતે પુસ્તક પ્રદર્શન
Live TV
-
ગાંધી સાહિત્યનું વાંચન વિસ્તરે તેવા હેતુ સાથે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો- પીઆઇબી દ્વારા પુસ્તક પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની 149મી જન્મ જયંતી નિમિતે પીઆઈબી અમદાવાદ કાર્યાલય ખાતે ગાંધીજીના જીવન પર આધારિત પુસ્તકો સહિત સ્વાતંત્ર્ય સેનાની બાળ સાહિત્ય, રોજગાર સમાચાર, સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટેના પુસ્તકો જેવા વિવિધ પ્રકારના પુસ્તકોનું વેચાણ કરવામાં આવશે. આજથી ખુલ્લુ મૂકવામાં આવેલું પ્રદર્શન 10 તારીખ સુધી ખુલ્લુ રહેશે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો કાર્યાલય ખાતે આયોજિત આ પ્રદર્શનમાં સવારે 10 વાગ્યાથી સાજે પાંચ વાગ્યા સુધી પુસ્તક ખરીદી તેમજ પ્રદર્શન જોવાનો લાભ મળી શકશે. તેમજ ગાંધી જયંતિના ઉપલક્ષમાં પુસ્તક ખરીદી પર 10 થી 90 ટકાના વળતરની જાહેરાત પણ કરવામાં આવી છે
