પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા
Live TV
-
1990ના જામજોધપુર કસ્ટોડિયન ડેથ મામલે થઇ સજા
જામનગર કોર્ટે પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે.વર્ષ 1990 ના જામજોધપુર કસ્ટોડિયન ડેથ મામલે જામનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો.કોર્ટે કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ આજીવન કારાવાસની સજા ફટકારી છે.તો કેસના અન્ય આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે દોષિત માનવામાં આવ્યા છે. વર્ષ 1990 માં જામજોધપુર પોલીસની કસ્ટડીમાં પ્રભુદાષ વૈશ્નવીનું મોત થયું હતું.જે સંદર્ભે એક IPS,2 PSI,3 હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
