પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશને સંબોધન કરશે
Live TV
-
સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંબોધન કરશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 72માં પ્રજાસત્તાક દિનની પુર્વ સંધ્યાએ આજે સાંજે દેશને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન સાંજે સાત વાગ્યાથી આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક અને દૂરદર્શનની તમામ ચેનલ પર પહેલાં હિંદી અને પછી અંગ્રેજીમાં પ્રસારણ થશે.
રાષ્ટ્રપતિના સંબોધનના હિંદી અને અંગ્રેજી પ્રસારણ પછી તરત દૂરદર્શનની પ્રાંતીય ચેનલ્સ પરથી પ્રાદેશિક ભાષામાં પણ સંબોધનનું પ્રસારણ થશે. આકાશવાણી પરથી પ્રાંતીય નેટવર્ક પર પ્રાદેશિક ભાષામાં રાષ્ટ્રપતિ સંબોધનનું પ્રસારણ રાતે સાડાનવ વાગ્યાથી શરૂ થશે.
