પ્રજ્ઞા ઠાકુર અને નવજોત સિદ્ધુને ચૂંટણી પંચની નોટિસ
Live TV
-
ચૂંટણી પંચે મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા પોલીસ અધિકારી હેમંત કરકરે વિશે આપેલા વિવાદીત નિવેદન પર ભોપાલ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. નોટિસમાં પ્રજ્ઞા ઠાકુરને કહેવામાં આવ્યું છે કે તેઓ આ સંબંધમાં એક દિવસમાં સ્પષ્ટીકરણ આપે નહીં તો જવાબ ન આપવાની એક તરફી કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી બાજુ મુસ્લિમ મતદાતાઓને એકજૂટ થઈને પ્રધાનમંત્રી મોદીને હરાવવાની અપીલ કરવા બદલ ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુને પણ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે સિદ્ધુએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને નવજોત સિંહ સિદ્ધુને પણ એક દિવસનો સમય આપવામાં આવ્યો છે.
