આજ સાંજથી શાંત પડશે ત્રીજા તબક્કા માટે ચૂંટણીના પ્રચાર પડઘમ
Live TV
-
આજથી રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પડઘમ બંધ
લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન આજે સાંજથી પૂર્ણ થશે. વિવિધ પક્ષો મતદાતાઓનું સમર્થન મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના લોકસભાના 116,ક્ષેત્રોમાં મંગળવારે વોટ નાખવામાં આવશે. ગુજરાતના 26, કેરળની - 20, મહારાષ્ટ્ર અને કર્ણાટકના -14 - 14, ઉત્તર પ્રદેશના 10, છત્તીસગઢના - 7, ઓડિશામાં - 6, બિહાર અને પશ્ચિમ બંગાળના 5- 5, આસામના - 4, ગોવાના - 2 , જમ્મુ - કાશ્મીર, દાદરાનગર હવેલી, દમણ અને દીવ , ત્રિપુરાની લોકસભાની એક - એક બેઠક માટે મતદાન યોજવામાં આવશે.
