પ્રધાનમંત્રીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ કરી અર્પણ
Live TV
-
પ્રધાનમંત્રીએ કહ્યું, “આજના દિવસે જલિયાંવાલા બાગમાં નિર્દયતાથી માર્યા ગયેલા શહીદોને હું નમન કરું છું. આપણે તેમની હિંમત અને બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકીએ. એમની બહાદુરી વર્ષો સુધી ભારતીયોને પ્રેરણા આપતી રહેશે.”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું, “આજના દિવસે જલિયાંવાલા બાગમાં નિર્દયતાથી માર્યા ગયેલા શહીદોને હું નમન કરું છું. આપણે તેમની હિંમત અને બલિદાનને ક્યારેય નહીં ભૂલી શકીએ. એમની બહાદુરી વર્ષો સુધી ભારતીયોને પ્રેરણા આપતી રહેશે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે 1919 ના જલિયાંવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પીને કહ્યું કે, તેમની બહાદુરી ભારતીયોને પ્રેરણા આપતી રહેશે. બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરના આદેશથી બ્રિટિશ ભારતીય સૈન્યએ લણણીનો તહેવાર, વૈસાખીની ઉજવણી કરવા માટે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એકત્ર થયેલા લોકોના વિશાળ જૂથ પર ગોળીબાર કર્યો હતો. આધિકારિક આંકડા પ્રમાણે ઓછામાં ઓછા 400 લોકો માર્યા ગયા અને એક હજાર ઘાયલ થયા
