પ્રધાનમંત્રીએ સામાન્ય નાગરિકોને નમો એપ પર જાહેર અભિપ્રાયના સર્વેમાં ભાગ લેવા વિનંતી કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને નમો એપ પર જાહેર અભિપ્રાયના સર્વેમાં ભાગ લેવા વિનંતી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોને 'નમો એપ' પર જાહેર અભિપ્રાયના સર્વેમાં ભાગ લેવા અને છેલ્લા 10 વર્ષમાં થયેલી પ્રગતિ વિશે તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ તેમને હેશટેગ જનમન સર્વેનો ઉપયોગ કરીને તેમનો પ્રતિસાદ સીધો તેમને મોકલવા કહ્યું. આ સર્વે લોકોને રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ વિશે તેમના અભિપ્રાય વ્યક્ત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું છે કે લોકો સરકારી કાર્યક્રમો, તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્યો અને સંસદના સભ્યોની કામગીરી જેવા ઘણા મુદ્દાઓ પર તેમનો પ્રતિસાદ શેર કરી શકે છે. તેમણે દરેકને આ સર્વેમાં ભાગ લેવા અને નવા ભારતની વિકાસ ગાથાનો ભાગ બનવા વિનંતી કરી.
