પ્રધાનમંત્રીએ G-20 શિખર સંમેલનમાં કોરોનાને રોકવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનવ જાતિના સામૂહિક કલ્યાણ માટે નવી વૈશ્વિક એકતા અને બહુપક્ષી મંચ ઉપર માનવીય હિતોને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનવ જાતિના સામૂહિક કલ્યાણ માટે નવી વૈશ્વિક એકતા અને બહુપક્ષી મંચ ઉપર માનવીય હિતોને પ્રોત્સાહન આપવાનું આહવાન કર્યું છે. ગઈકાલે રાત્રે 20 વિકસીત દેશોના સમૂહ જી - 20 શિખર સંમેલનમાં તેમણે કહ્યું કે, માનવ જાતિની વૈશ્વિક ખુશી અને સહયોગને કેન્દ્રમાં રાખવું પડશે. તેમણે ચિકિત્સા અનુસંધાન અને સ્વાસ્થ્ય પ્રણાલીને આવશ્યકતા અનુરૂપ માનવીય રૂપમાં વિકસીત કરવા તથા આપદા પ્રબંધનની નવી પદ્ધતિના પ્રોત્સાહન પર ભાર મૂક્યો હતો.
