પ્રધાનમંત્રી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલોના શ્રદ્ધાંજલિ અને સ્વાગત સમારોહમાં ભાગ લેશે
Live TV
-
1971ના યુદ્ધમાં ભારતની જીત અને બાંગ્લાદેશની રચનાનાં 50 વર્ષની ઉજવણીનાં ભાગરૂપે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીના ભાગરૂપે ગયા વર્ષે 16 ડિસેમ્બરે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શાશ્વત જ્યોતથી સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી. તેમણે ચાર જ્વાળાઓ પણ પ્રગટાવી જે જુદી જુદી દિશામાં આગળ વધવાની હતી. ત્યારથી આ ચાર જ્વાળાઓ સમગ્ર દેશનાં લંબાઇ અને પહોળાઈમાં પસાર થઈ છે. જેમાં સિયાચીન, કન્યાકુમારી, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લોંગેવાલા, કચ્છનું રણ,અગરતલા વગેરેનો સમાવેશ થાય છે. આ જ્વાળાઓ મુખ્ય યુદ્ધ વિસ્તારોમાં અને વીરતા પુરસ્કાર વિજેતાઓ અને 1971ના યુદ્ધના અનુભવીઓનાં ઘરોમાં પણ લઈ જવામાં આવી હતી.16 ડિસેમ્બર 2021ના રોજ શ્રદ્ધાંજલિ સમારોહ દરમિયાન આ ચાર જ્યોતને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શાશ્વત જ્યોત સાથે વિલીન કરવામાં આવશે.
