પ્રધાનમંત્રી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કરશે...આ કાર્યક્રમમાં દેશભરમાંથી હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.
કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી બે હજારથી વધુ VBSY વાન, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કોમન સર્વિસ સેન્ટર્સને પણ જોડવામાં આવશે.આ કાર્યક્રમમાં, કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ ભાગ લેવાના છે.
સમગ્ર દેશમાં સરકારની મુખ્ય યોજનાઓને 100% પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે વિકાસ ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી હતી.હાલ આ યાત્રા થકી સ્થળ પર લોકોની સરકારની યોજનાનો લાભ લેવામાં લોકોને પડતી સમસ્યાનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવે છે. સાથે જ બાકી રહેલા લાભાર્થીઓ સુધી આ યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરવા અંગે પણ સૂચનો આપી દેવાયા છે.
