પ્રધાનમંત્રી આવતીકાલે કોચી-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે
Live TV
-
કોરોના મહામારીના આ કપરાકાળમાં વિશ્વ આખું આર્થિક રીતે મંદીમાં સપડાઈ રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દેશને મંદી માંથી બહાર લેવા વિવિધ યોજનાઓ ને કાર્યક્રમો કરીને મદદ કરી રહ્યું છે .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અગીયાર વાગે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કૌચ્ચી – મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપ લાઇન દેશને સમર્પિત કરશે.
આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિન્હરૂપ છે. આ પાઇપ લાઇન ૪પ૦ કીલોમીટર લાંબી છે જેને ગેઇલ ઇનડિયા લીમીટેડ ધ્વારા બનાવવામાં આવી છે. તે પ્રતિ દિવસ એક કરોડ વીસ લાખ મેટ્રીક ટન સ્ટાન્ડર્ડ કયુબીક મીટર પરીવહન ક્ષમતા ધરાવે છે. તેનાથી એરનાકુલમ, થ્રીસુર, પાલકકડ, મલ્લાપુરમ, કોઝીકોડ, કન્નૂર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્ચીમાં તરલ પ્રાકૃતિક ગેસ – એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે. આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી.
