પ્રધાનમંત્રી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે આકાશવાણી પર 'મન કી બાત' કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. જે માસિક રેડિયો કાર્યક્રમનો 111મો એપિસોડ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રીનો કાર્યભાર સંભાળ્યા પછી આ પ્રથમ એપિસોડ પણ હશે.
આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે.
એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.
