પ્રધાનમંત્રી ચક્રવાત ‘યાસ’ની અસર અંગેની સમીક્ષા માટે 28 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 મે 2021ના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. તેઓ બંને રાજ્યો પર ચક્રવાત યાસની અસરનો અંદાજ મેળવવા માટેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી બંને રાજ્યોમાં ચક્રવાતથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ પણ કરશે.
