પ્રધાનમંત્રી જી-7ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ઇટલી જવા રવાના થયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-7 ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઇટલી જવા રવાના થયા છે. ઈટલી જતા પહેલા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ખુશી છે કે ત્રીજા કાર્યકાળમાં પ્રથમ પ્રવાસે ઇટલી જઇ રહ્યો છું.
આ અવસરે તેઓએ વર્ષ 2021માં કરેલા ઇટલીના પ્રવાસને અને પ્રધાનમંત્રી મેલોનીના ભારતના પ્રવાસને યાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તેમનો પ્રવાસ દ્વિપક્ષીય એજન્ડામાં ગતિ અને ઘનિષ્ટતા લાવવામાં સહાયભૂત થશે. તેમજ ઇંડો-પેસિફિક અને ભૂમધ્યસાગરીય ક્ષેત્રોમાં સહયોગમાં પ્રતિબધ્ધ હોવાની વાત કરી હતી.
