પ્રધાનમંત્રી દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં અમૃતપેઢીના યોગદાન અને સશક્તિકરણને પ્રદર્શિત કરનાર "અમૃતકાલની NCC વિષય" પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. 2 હજાર 200થી વધુ NCC કેડેટ્સ અને 24 દેશોના યુવા કેડેટ્સ આ વર્ષની રેલીનો ભાગ હશે. રેલીમાં પ્રધાનમંત્રી શ્રેષ્ઠ કેડેટ્સને પુરસ્કાર પણ પ્રદાન કરશે.. તો વિશેષ અતિથીરૂપે વાઇબ્રન્ટ ગામોના 400 થી વધુ સરપંચો અને દેશના વિવિધ ભાગોમાંથી સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી 100થી વધુ મહિલાઓ NCC PM રેલીમાં ભાગ લેશે.
