પ્રધાનમંત્રી દુનિયાના તેલ અને ગેસ કંપનીઓના 45 સીઇઓ સાથે વાતચીત કરશે.
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દુનિયાના તેલ અને ગેસ કંપનીઓના CEO સાથે વાતચીત કરશે. આ વાતચીતમાં તેલ અને ગેસ કંપનીઓના 45 CEO સામેલ રહેશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા ફોરમ એનર્જીનુ ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમમાં 30 થી વધુ દેશોની ઉર્જા કંપનીઓનો સમાવેશ થશે. નીતિ આયોગ અને પેટ્રોલીયમ મંત્રાલય દ્વારા આ પાંચમી વખત આયોજન કરવામાં આવ્યુ છે. ઉર્જાની માંગને લઇ દેશમાં 2030 સુધીમાં તેલ અને ગેસ ક્ષેત્રમાં 300 અબજ ડોલર સુધી પણ વધુ રોકાણ કરવાનો અંદાજ છે. આ બેઠકનો હેતુ સુધારા પર ચર્ચા અને ગેસ અને તેલ કંપનીઓના રોકાણમાં તેજી લાવવાનો છે. જેમાં 30 થી વધુ દેશોના ઉર્જા કંપનીઓના પ્રતિનિધિ, સરકારના 1 હજાર કર્મીઓ, સંસ્થાઓ અને વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે.
