પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂક પામેલા 51,000 લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂક પામેલા 51 હજાર લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાં 37 સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો. નિમણૂક પામેલા નવા કર્મચારીઓ સરકારના મહેસૂલ વિભાગ, ગૃહ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો તથા વિભાગોમાં સેવા આપશે. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇને દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014 પહેલા સમાજના મોટા વર્ગને તેમના હકોથી વંચિત રાખવામાં આવતો હતો.
જ્યારે હાલની સરકારે વંચિતોને કેન્દ્ર સ્થાને રાખીને કામ કર્યું છે. જેના પરિણામો આજે સૌની સામે છે.
