પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોનું બજેટ 1 લાખ 25 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યું: અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેલંગણાના પ્રવાસે હતા. જ્યાં ખમ્મમમાં તેમણે જનસભાને સંબોધિત કરી હતી. તેમણે તેલંગણાની કેસીઆર સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અત્યાચારી, ભ્રષ્ટાચારી કેસીઆર સરકારની ઊલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કેસીઆરે 9 વર્ષમાં એક પણ વાયદો નિભાવ્યો નથી. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોનું બજેટ 1 લાખ 25 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યું છે. તેમણે કહ્યું હતું કે તેલંગણામાં સ્પષ્ટ બહુમતીથી ભાજપની સરકાર બનશે.
