Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 2,000 રેલ્વે પ્રોજેક્ટનું વર્ચ્યુઅલી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો  કોન્ફરન્સિંગના માધ્યમથી આશરે રૂ.41,000 કરોડના મૂલ્યના 2000થી વધુ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રૂ.19,000 કરોડથી વધુના ખર્ચે 27 રાજ્યો અને કેન્દ્ર  શાસિત પ્રદેશોમાં 553 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલારોપણ કર્યું. પુનઃવિકસિત ગોમતી નગર રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું. આશરે રૂ. 21,520 કરોડના ખર્ચે દેશભરમાં 1500 રોડ ઓવર બ્રિજ અને અંડરપાસનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કર્યા

    આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદબોધન કર્યું હતું. તેમણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ નવા ભારતની નવી કાર્યસંસ્કૃતિનું પ્રતીક છે. એક જ વખતમાં 2000 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ભારત રેલવેનાં માળખાગત સુવિધામાં મોટું પરિવર્તન લાવશે. આજે ભારત જે પણ કરે છે, તે અભૂતપૂર્વ ગતિ અને સ્કેલ પર કરે છે. અમે મોટા સ્વપ્નો જોઈએ છીએ અને તેમને સાકાર કરવા માટે અથાક મહેનત કરીએ છીએ. આ સંકલ્પ આ વિકસિત ભારત વિકસિત રેલવે કાર્યક્રમમાં જોવા મળે છે. "વિકસિત ભારત કેવી રીતે આગળ વધશે તે નક્કી કરવાનો યુવાનોને મહત્તમ અધિકાર છે.

    પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં વધુ જણાવ્યું કે, અમૃત ભારત સ્ટેશન વિકાસ અને વિરાસત બંનેનું પ્રતીક છે. ઓડિશામાં બલેશ્વર સ્ટેશનની રચના ભગવાન જગન્નાથ મંદિરની થીમ પર કરવામાં આવી છે અને સિક્કિમના રંગપુરમાં સ્થાનિક સ્થાપત્યની છાપ હશે, રાજસ્થાનમાં સાંગનેર સ્ટેશન 16મી સદીના હેન્ડ બ્લોક પ્રિન્ટિંગનું પ્રદર્શન કરશે, તમિલનાડુમાં કુમ્બાકોનમ ખાતેનું સ્ટેશન ચોલા પ્રભાવ પ્રદર્શિત કરશે અને અમદાવાદ સ્ટેશન મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત છે, દ્વારકા સ્ટેશન દ્વારકાધીશ મંદિરથી પ્રેરિત છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઇટી સિટી ગુરુગ્રામ સ્ટેશન આઇટી થીમ ધરાવે છે, જેનો અર્થ થાય છે અમૃત ભારત સ્ટેશન એ શહેરની ખાસિયતોનો પરિચય દુનિયાને આપશે. આ સ્ટેશનો દિવ્યાંગ અને સિનિયર સિટીઝન-ફ્રેન્ડલી હશે.

    પ્રધાનમંત્રીએ છેલ્લાં 10 વર્ષમાં દેશમાં હાથ ધરાયેલા રેલવે પ્રોજેક્ટ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં જે સુવિધાઓ દૂર હતી, તે હવે વાસ્તવિકતામાં ફેરવાઈ ગઈ છે. તેમણે વંદે ભારત, અમૃત ભારત, નમો ભારત જેવી આધુનિક સેમિ હાઈ-સ્પીડ ટ્રેનો, રેલવે લાઇનોનાં વીજળીકરણની ઝડપી ગતિ અને ટ્રેનોની અંદર અને સ્ટેશન પ્લેટફોર્મ પર સ્વચ્છતાનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે ભારતીય રેલવેમાં માનવરહિત દરવાજાઓ કેવી રીતે સામાન્ય છે તેની સરખામણી કરી હતી, જ્યારે ઓવરબ્રિજ અને અંડરબ્રિજે આજે અવિરત અને અકસ્માત મુક્ત અવરજવરની ખાતરી આપી છે. તેમણે ઉલ્લેખ પણ કર્યો હતો કે, એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ હવે રેલવે સ્ટેશનો પર ગરીબ અને મધ્યમ વર્ગને ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 31-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
apply