અલાહાબાદ કોર્ટ આજે જ્ઞાનવ્યાપીના તહખાનામાં પૂજા કરવા મુદ્દે આપશે ચુકાદો
Live TV
-
વારાણસી જિલ્લા કોર્ટે 31 જાન્યુઆરીએ જ્ઞાનવ્યાપીના તહખાનાના દક્ષિણ ભાગમાં પૂજા કરવા માટે પરવાનગી આપી હતી.
અલાહાબાદ કોર્ટ આજે જ્ઞાનવ્યાપીના તહખાનામાં પૂજા કરવા મુદ્દે ચુકાદો આપશે. વારાણસી જિલ્લા કોર્ટે 31 જાન્યુઆરીએ જ્ઞાનવ્યાપીના તહખાનાના દક્ષિણ ભાગમાં પૂજા કરવા માટે પરવાનગી આપી હતી. જેની સામે અંજુમન ઇંતજામિયા સમાજિક કમિટી દ્વારા અપિલ કરવામાં આવી હતી. અપિલ બાદ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો.. આજે અલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ રોહિત રંજન અગ્રવાલ ચુકાદો જાહેર કરશે.