પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના BJPના લાખો કાર્યકરોને વર્ચુઅલી કર્યું સંબોધન
Live TV
-
ભાજપે દેશને વિશાળ પડકારોનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવ્યો
ભારતીય જનતા પાર્ટી આજે 44મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને વર્ચ્યૂઅલી સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન હનુમાનજીનું જીવન અને તેમના જીવનના અનેક પ્રસંગ આજે પણ આપણને ભારતની વિકાસયાત્રામાં પ્રેરણા આપે છે. ભગવાન હનુમાનજીના અનેક ગુણોથી અમે ભાજપના કાર્યકર્તાઓ, પાર્ટી સતત પ્રેરણા લઈ રહી છે. ભ્રષ્ટાચાર મામલે ભાજપ હનુમાનજીની જેમ જ કઠોર છે. ભાજપ એ પાર્ટી છે, જેના માટે રાષ્ટ્ર હંમેશા સર્વોપરી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જનસંઘનો જન્મ થયો હતો..ત્યારે અમારી પાસે રાજકીય અનુભવ ન હતો.ન સાધન હતા. ન સંશાધન હતા. પરંતુ અમારી પાસે માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, લોકતંત્રની શક્તિ હતી. ભાજપ સામાજિક ન્યાયની ભાવના સાથે જીવે છે. આજે ભારત વિશાળ પડકારોનો સામનો કરવામાં વધુ સક્ષમ છે.
