રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયની જાહેરાત કરી
Live TV
-
ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જનતાને સારા સમાચાર મળ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિની બેઠકના નિર્ણયની જાહેરાત કરી હતી. સાથે જ સમિતિએ રેપોરેટને 6.5 ટકાએ સ્થિર રાખવાનો નિર્ણય કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24 માટે ફુગાવો 5.2% રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે 2023-24 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ 6.5% રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સમિતિની દ્વિમાસિક સમીક્ષા બેઠક સોમવારે શરૂ થઈ હતી. જોકે, મે 2022થી રેપો રેટમાં સતત 6 વખત વધારો કરવામાં આવ્યો હતો.
