પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે છે. અહીં તેઓએ પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં દર્શન કર્યા હતા,, અહીં મંદિરમાં તેમણે પાંરપરિક વેશભૂષામાં પૂજા પણ કરી હતી. તેઓ અહીં એક જનસભાને પણ સંબોધશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના પ્રવાસે છે. અહીં તેઓએ પાંચ હજાર વર્ષ જૂના ગુરુવાયુરપ્પન મંદિરમાં દર્શન કર્યા હતા,, અહીં મંદિરમાં તેમણે પાંરપરિક વેશભૂષામાં પૂજા પણ કરી હતી. તેઓ અહીં એક જનસભાને પણ સંબોધશે. અહીં પ્રધાનમંત્રી મોદીને 112 કિલો કમળના ફૂલથી તોલીને તુલાભાર વિધિ પણ કરવામાં આવી હતી. ગુરુવાયુરપ્પન મંદિર અંદાજે 5 હજાર વર્ષ જૂનું છે. મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે આ મંદિરની મુલાકાત કરી હતી.રવિવારે પરત ફરતી વખતે તેઓ આંધ્રપ્રદેશ પણ જશે, અને અહીં તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના દર્શન પણ કરશે.
