પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ઉલ્લેખ સાથે મન કી બાત કાર્યક્રમની કરી શરુઆત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરના ઉલ્લેખ સાથે મન કી બાત કાર્યક્રમની કરી શરુઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ થકી પોતના વિચારો દેશ અને દુનિયા સમક્ષ વ્યક્ત કર્યા હતા. મન કી બાતના 109માં એપીસોડમાં પ્રધાનમંત્રીએ મહિલાઓના જાહેર જીવનમાં યોગદાન અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. ઉપરાંત તેઓએ બંધારણ અને અયોધ્યામાં આકાર પામેલા રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પણ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરથી દેશના કરોડો લોકો એક સુત્રથી બંધાયા છે. તો પ્રધાનમંત્રીએ નારી શક્તિ અને મહિલા સશક્તિકરણ પર પણ ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, 21મી સદીનું ભારત મહિલા કેન્દ્રિત વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. 13 મહિલા એથ્લેટ્સ અર્જૂન પુરસ્કારના અને 26મી જાન્યુઆરીની પરેડમાં મહિલા માર્ચના પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં વખાણ કર્યા હતા.