પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના PM પ્રવિન્દ જગન્નાથ નવી એરસ્ટ્રીપ અને જેમ્સ જેટ્ટીનું કરશે ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરિશિયસના અગાલેગા દ્વિપ પર નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટ્ટીનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરિશિયસના અગાલેગા દ્વિપ પર નવી એરસ્ટ્રીપ અને સેન્ટ જેમ્સ જેટ્ટીનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત આ દ્વિપ પર 6 સમુદાયના વિકાસ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રૉજેક્ટ્સ મોરિશિયસના મુખ્ય ક્ષેત્રની સાથે અગાલેગા દ્વિપની સાથે સંપર્કને મજબૂત કરશે. સાથે જ સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન એટલે મહત્વનું છે કે, તાજેતરમાં જ 22 ફેબ્રુઆરી 2024ના દિવસે બંને નેતાઓએ મોરિશિયસમાં યુપીઆઈ- અને રૂ-પે કાર્ડની સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.