પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર મનકી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો કરશે રજૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી પર મનકી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો કરશે રજૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11-00 કલાકે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પોતાના વિચારો વ્યક્ત કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની આ 110મી કડી છે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ ગુજરાતી ભાષામાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી ગુજરાતી ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે.
આ મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 110 એપિસોડ રજૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન નેટવર્ક પર પ્રસારિત થશે. આ કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઇટ સહિત અન્ય વેબસાઇટ પરથી પ્રસારણ થશે. આ સાથે દૂરદર્શન સમાચાર, આકાશવાણી સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય, સુચના અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યુબ ચેનલ પર સીધુ પ્રસારણ થશે.