પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં, મંડલ ડેમનો કરશે શિલાન્યાસ
Live TV
-
47 વર્ષ પછી મંગલ બંધના વિસ્તારીકરણનું કામ પ્રધાનમંત્રીના હાથ શરૂ થવા જઇ રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડની એક દિવસીય મુલાકાતે પહોંચશે. પ્રધાનમંત્રી આ મુલાકાત દરમિયાન પલામુ જિલ્લામાં અઢી હજાર કરોડના ખર્ચે તૈયાર થનારા મંડલ બંધનો શિલાન્યાસ કરશે અને રાજ્યના લોકોને અન્ય છ સિંચાઇ યોજનાની ભેટ પણ આપશે. આ યોજનાથી દુષ્કાળનો સામનો કરી રહેલા ઝારખંડને રાહત મળશે. ઝારખંડ ઉપરાંત પડોશી રાજ્ય બિહારના અનેક વિસ્તારોને પણ લાભ મળશે. 47 વર્ષ પછી મંગલ બંધના વિસ્તારીકરણનું કામ પ્રધાનમંત્રીના હાથ શરૂ થવા જઇ રહ્યું છે
