સબરીમલા મંદિર વિવાદને પગલે કેરળમાં હિંસા
Live TV
-
સબરીમલા મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ બાદ કેરળમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. મહિલાઓના મંદિરમાં પ્રવેશ બાદ બંધનું એલાન રાખવામાં આવ્યું હતું, જેના પગલે જનજીવન પ્રભાવિત થયું હતું.
બંધ દરમ્યાન થયેલ હિંસામાં એકનું મોત પણ થયું છે. આ મામલે રાજ્યપાલે મુખ્યમંત્રી પાસે રિપોર્ટ પણ માંગ્યો છે. રાજધાની તિરુવનંતપુરમ, કોચિન, પંડાલમ અને પઠાનમથિટ્ટામાં દુકાનો બંધ રહી હતી. ઉલ્લેખનીય છે કે સબરીમલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓ કે જે રજસ્વલા હોય તેમને મંદિરમાં પ્રવેશ કરવાની મંજૂરી સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવી છે.
