પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મેરઠમાં ચુંટણી પ્રચારનો શંખનાદ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 2024ની લોકસભા ચૂંટણી માટે આજે મેરઠમાં ચુંટણી પ્રચારનો શંખનાદ કરશે. ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મુખ્યમંત્રીઓ ઉપરાંત એનડીએના સહયોગી દળોના નેતાઓ પણ તેમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી બપોરે મોદીપુરમ સ્થિત સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના મેદાનમાં યોજાશે. આ ત્રીજી વખત હશે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં મેરઠથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.
આ રેલીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની પણ પ્રથમ વખત ભાગ લેશે. રેલીને સફળ બનાવવા માટે બીજેપી અને આરએલડીના કાર્યકરો ત્રણ દિવસથી મેરઠમાં કેમ્પ કરી રહ્યા છે.
