ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને માટે 27 સભ્યોની ઘોષણા પત્ર સમિતિની જાહેરાત કરી
Live TV
-
ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની જાહેરાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આ સમિતિ અંગે એલાન કર્યું હતું. ચૂંટણી ઘોષણા પત્ર સમિતિની રચના રાજનાથ સિંહના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે. આ સમિતિના સંયોજક નિર્મલા સીતારમણ તેમજ સહ સંયોજક પીયૂષ ગોયલ છે. આ સમિતિમાં 27 સભ્યો છે.
લોકસભા ચૂંટણીને લઈ હાલ તમામ પાર્ટીઓએ તૈયારીઓ પૂર જોશમાં શરૂ કરી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ઘોષણા પત્ર સમિતિની જાહેરાત કરી હતી.
