પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં લેશે ભાગ
Live TV
-
PM નરેન્દ્ર મોદી આજે જાપાન જવા માટે રવાના થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે જાપાન જવા માટે રવાના થશે. પ્રધાનમંત્રી જાપાનના ઓસાકામાં 14મા જી-20 શિખર સંમેલનમાં ભાગ લેશે. આ બેઠકમાં નાણાંકીય સ્થિરતા , આર્થિક બાબતોમાં સુધારણા, બ્લેકમની, અને આતંકવાદનો મુદ્દો ભારતના એજન્ડામાં ટોચ પર રહેશે. વિદેશ મંત્રાલય અનુસાર સંમેલનમાં સભ્ય દેશોનાં રાષ્ટ્ર અધ્યક્ષ કે શાસન અધ્યક્ષ, યુરોપિય સંઘ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંઘોનાં પ્રમુખો પણ સામેલ થશે. ઓસાકામાં વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓના 14મા સંમેલનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ ભારતના શેરપા રહેશે.
