પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 51 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો કરશે એનાયત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરશે. આ અવસર પર પ્રધાનમંત્રી નવનિયુક્ત કર્મચારીઓને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળાનું દેશભરમાં 45 સ્થળો પણ આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર મેળા દ્વારા ગૃહ મંત્રાલય વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર બળ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો અને દિલ્હી પોલીસમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. દેશભરમાંથી પસંદગી પામેલ કર્મચારીઓ ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ સંગઠનોમાં જેવા કે, કોન્સ્ટેબલ, જનરલ જ્યુટી, સબ ઇન્સ્પેક્ટર જેવા વિવિધ પદો પર યોગદાન કરશે. તો CAPF, NCB અને દિલ્હી પોલીસના નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર મળશે.
