પ્રધાનમંત્રી મોદી ઓડિશાની મુલાકાતે.,પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરમાં કર્યો રોડ શો
Live TV
-
પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરમાં ૧૮,૬૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.
પ્રધાનમંત્રી મોદીએ આજે ઓડિશાને કરોડોની ભેટ આપી... તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરમાં રોડ શો કર્યો. ત્યારબાદ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓડિશા સરકારના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભુવનેશ્વરમાં રાજ્ય સ્તરે આયોજિત એક જાહેર સભામાં હાજરી આપી.ભુવનેશ્વરમાં આયોજિત જાહેર સભામાં આગમન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોનું સ્વાગત કર્યું. આ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ ભુવનેશ્વરમાં ૧૮,૬૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું.
આ પ્રોજેક્ટ્સમાં પીવાનું પાણી, સિંચાઈ, કૃષિ માળખાગત સુવિધાઓ, આરોગ્ય માળખાગત સુવિધાઓ, ગ્રામીણ રસ્તાઓ અને પુલો, રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ભાગો અને નવી રેલ્વે લાઇનનો સમાવેશ થાય છે. બૌદ્ધના રાષ્ટ્રીય રેલ્વે નેટવર્ક સાથે એકીકરણના ઐતિહાસિક ક્ષણે, પીએમ મોદી પહેલી વાર નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી..નવી ટ્રેન સેવાઓ જિલ્લામાં રેલ કનેક્ટિવિટી વધારશે.
