પ્રધાનમંત્રી ‘શહેરી યોજનાઓ, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધન કરશે
Live TV
-
વિભિન્ન વિષયો સાથે સંબંધિત બજેટ જાહેરાત પર ચર્ચા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10 વાગ્યે ‘શહેરી યોજનાઓ, વિકાસ અને સ્વચ્છતા’ વિષય પર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પોસ્ટ બજેટ વેબિનારને સંબોધન કરશે. આ વેબિનાર રહેવાસ અને શહેરી કાર્ય મંત્રાલય (MoHUA)ના નેતૃત્ત્વ અને પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલય (MoEF&CC) ના સહનેતૃત્ત્વમાં આયોજિત કરવામાં આવશે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, પેયજળ અને સ્વચ્છતા વિભાગ (DDWS), જળ શક્તિ મંત્રાલય (MoJS) ના સમન્વયમાં વિભિન્ન વિષયો સાથે સંબંધિત બજેટ જાહેરાત પર ચર્ચા કરવામાં આવશે.
આ પોસ્ટ વેબિનારમાં સફાઈમિત્ર, પ્રમુખ બિન સરકારી સંગઠન, નાગરિક સમાજ સંગઠન, શ્રમિક સંઘ, નાણાંકીય સંસ્થાન, શહેરી યોજનાકાર, ઉદ્યોગ પ્રતિનિધિ, અનુસંધાન સંસ્થાન, જનપ્રતિનિધિ, સરકારી અધિકારીઓ શામેલ થશે અને પોતાના વિચાર રજૂ કરશે.
હિતધારક બજેટ ઘોષણાઓ સાથે સંબંઘિત રણનીતિ અને સમય સીમા પર વિચારો પર ચર્ચા કરીને રૂપરેખા તૈયાર કરવામાં આવશે. જેમાં તમામ શહેરોમાં ‘મેન હોલ ટૂ મશીન હોલ’ સુનિશ્ચિત કરવા, ભીના અને સૂકા કચરાનું પ્રબંધન સ્કીમ હેઠળ વેસ્ટ ટૂ વેલ્થ પ્લાંટ્સ UIDF માટે ટિયર-2 અને ટિયર-3 શહેર ઉપયોગકર્તા શુલ્ક અને સંપત્તિ કર સુધારા સંબંધિત યોજના કાર્યોમાં પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે સુવિધાઓ પર મેકેનાઈઝ્ડ સેનિટેશન સંબંધિત ઘોષણાઓ પર શામેલ હશે.
