પ્રવાસી ભારતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રહ્યા ઉપસ્થિત
Live TV
-
દુનિયાના વિભિન્ન દેશોમાં દેશની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવનારા ભારત વંશીયોનું સન્માન કરશે
વારાણસી ખાતે પ્રવાસી ભારતીય સંમેલનનો છેલ્લો દિવસ છે. સંમેલનમાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમાપન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે. દુનિયાના વિભિન્ન દેશોમાં દેશની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવનારા ભારત વંશીયોનું સન્માન કરશે. આ સંમેલનમાં છ હજારથી વધુ લોકોએ ભાગ લીધો છે. પ્રવાસી ભારતીય સંમેલનના અનુસંધાને ગઈકાલે અભિનેત્રી હેમા માલિનીએ "ગંગા અવતરણ " પર પોતાની એક પ્રસ્તુતી રજૂ કરી હતી.
