પ્રસાર ભારતીના ચેરમેન એ. સૂર્યા પ્રકાશની નહેરુ મેમોરિયલના વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક
Live TV
-
પ્રસાર ભારતીના ચેરમેન એ. સૂર્યા પ્રકાશની નહેરુ મેમોરિયલના વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક કરી છે.
કેન્દ્ર સરકારે સોસાયટી ઓફ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ટ્ર્સ્ટમાં સભ્યોની નિમણૂંક કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રાને ટ્રસ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા છે તો પ્રસાર ભારતીના ચેરમેન એ. સૂર્યા પ્રકાશની વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક કરી છે. કેન્દ્ર સરકારે ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત કુલ 8 લોકોની આ ટ્રસ્ટમાં નિમણૂંક કરી છે.
નેહરુ મેમોરિયલ ટ્રસ્ટના સભ્યોનું માળખું
નૃપેન્દ્ર મિશ્રા, પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરી પીએમ મોદી- ચેરમેન
એ. સૂર્યા પ્રકાશ, ચેરમેન પ્રસાર ભારતી- વાઇસ ચેરમેન
શ્રી કપિલ કપૂર, એકેડમિક- સભ્ય
શ્રી વિનય સહશ્ત્રબુદ્ધે - સભ્ય
સ્વપન દાસગુપ્તા- સભ્ય
