બરફવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બંને તરફથી વાહનોની આવનજાવન બંધ
Live TV
-
મોડી રાત સુધી શ્રીનગર સહિત કાશ્મીરના કેટલાંક ભાગોમાં વરસાદ અને બરફ વર્ષા થઈ છે. મોસમ વિભાગના મતે આગામી 48 કલાક માં મોસમ વધારે બગડે તેવી સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરના કાજીપુર વિસ્તારમાં સતત બરફવર્ષાના કારણે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર બંને તરફથી વાહનોની આવનજાવન બંધ કરી દીધી છે. ગઇકાલે મોડી રાત સુધી શ્રીનગર સહિત કાશ્મીરના કેટલાંક ભાગોમાં વરસાદ અને બરફ વર્ષા થઈ છે. મોસમ વિભાગના મતે આગામી 48 કલાક માં મોસમ વધારે બગડે તેવી સંભાવના છે. આ સિવાય શ્રીનગર એરપોર્ટ પર હવાઈ યાત્રા ઉપર પમ અસર પડી છે. મોસમ વિભાગના મતે જમ્મુ ક્ષેત્રના મેદાની વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉપરના વિસ્તારમાં ભારે બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
