બારાબંકી લઠ્ઠાકાંડમાં CM યોગી આદિત્યનાથે મૃતકોને બે લાખની સહાયની કરી જાહેરાત
Live TV
-
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે, જેમાં 13 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે મૃતકોના પરિજનોને રૂપિયા બે લાખ સહાયની જાહેરાત કરી છે. તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરાઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે,
ઉત્તર પ્રદેશના બારાબંકીમાં લઠ્ઠાકાંડ સર્જાયો છે, જેમાં 13 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે મૃતકોના પરિજનોને રૂપિયા બે લાખ સહાયની જાહેરાત કરી છે. તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરાઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ સામે કેસ દાખલ કર્યો છે. આ ઘટના રામનગર પોલીસ સ્ટેશનની હદ ના રાનીગંજ ગામમાં બની છે. જેમાં કેટલાક લોકોએ એક દુકાનમાંથી દારૂ ખરીદી પીધો હતો. ત્યાર બાદ તેઓની હાલત ગંભીર બની હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. આ ઘટનાને પગલે ડીઇઓ સહિત 10 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ.ડી.જી. એ જણાવ્યું છે કે, દોષિતોને સખત સજા કરવામાં આવશે.
