બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે થશે દ્વીપક્ષીય મંત્રણા
Live TV
-
બંને દેશો વચ્ચે અનેક સમજૂતી પર થશે હસ્તાક્ષર, બ્રાઝિલના રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ સહિત વિદેશમંત્રી સાથે કરશે મુલાકાત, 71મા ગણતંત્ર દિવસના હશે મુખ્ય અતિથિ
પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ , Jair Bolsonaro સાથે દ્વીપક્ષીય મંત્રણા કરશે. આ મંત્રણા બાદ અનેક સમજૂતી પર હસ્તાક્ષર થવાની આશા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમના સ્વાગતમાં, આજે રાત્રિ ભોજનનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ બોલસોનારો સાથે 8 મંત્રી, બ્રાઝિલના 4 સાંસદ, વરિષ્ઠ અધિકારી-ગણ અને પ્રતિનિધિમંડળ પણ ભારતની મુલાકાતે છે. આ વખતે ગણતંત્ર દિવસ સમારોહમાં , બ્રાઝિલના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે. બ્રાઝિલ અને ભારત વચ્ચે દ્વીપક્ષીય સંબંધો ઘણા મજબુત છે, અને બંને દેશો વચ્ચે, લગભગ 8 અબજ 20 કરોડ ડોલરનો વેપાર છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ Jair Bolsonaro ભારતની 4 દિવસની યાત્રાએ ગઈકાલે દિલ્હી પહોંચ્યા ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ઍરપોર્ટ પર તેમનુ સ્વાગત કર્યુ હતુ.
