ભાજપનું આજથી સંપર્ક અભિયાન
Live TV
-
મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પર ભાજપ સરકારના કરેલા કાર્યોને લોકો સુધી પહોચાડવા માટે આજથી શરૂ થશે સંપર્ક અભિયાન. ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ગૂરુગ્રામથી સંપર્ક અભિયાનની શરૂઆત આજથી કરશે.
કેન્દ્રની ભાજપ સરકારે કરેલા લોકોમાટેના કાર્યોને લઇને આજે સંપર્ક ફોર સમર્થનની શરૂઆત આજથી કરવામાં આવશે. જેને લઇને કેન્દ્ર સરકારની યોજનાઓનો લોકોને કેટલો લાભ થયો છે. જેને આધારે ભાજપના સમર્થન માટે ઘરે-ઘરે જશે. સંપર્ક અભિયાનની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુંડગાવથી કરશે. આ અભિયાનમાં અમિત શાહ મોદી સરકારે કરેલા કાર્યો, લોકો માટે ઉપયોગી યોજનાઓને ઓછામાં ઓછા 50 જાગૃત નાગરિકો અને સામાન્ય નાગરિકો સુધી પહોચાડશે. તો કાર્યકર્તાઓ પણ જોડાશે.
