ભારતના વેક્સિન નિર્માતાઓ સાથે અને વિવિધ રાજ્યોના રાજદૂતો સાથે વર્ચુઅલ વાતચીત
Live TV
-
અમેરીકામા ભારતીય રાજ્દુત, તરંજીત સંધુ, જર્મનીમા ભારતીય રાજ્દુત મુક્તા તોમર અને યુરોપીયન સંઘમા ભારતીય રાજદુત સંતોશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમા કોરોનાની સ્થિતી વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયાએ વેક્સિન નિર્માતાઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ દેશમા કોરોના વિરુધ્ધની રસીની ઉત્પાદન ક્ષમતા વધારવા અને સંકલનનો હતો. આ બેઠકમા અમેરીકામા ભારતીય રાજ્દુત, તરંજીત સંધુ, જર્મનીમા ભારતીય રાજ્દુત મુક્તા તોમર અને યુરોપીયન સંઘમા ભારતીય રાજદુત સંતોશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. વિતેલા કેટલાક સમય દરમિયાન ભારતીય દવા ઉદ્યોગ પર આવી રહેલ બાધાઓને દુર કરવાનો પ્રયત્ન આ બેઠકમા કરાયો હતો.આ સાથે વિદેશ મંત્રી એસ.જયશંકરે આશા દર્શાવી, કે કોરોનાની ખરાબ સ્થિતીમા પણ અમે આ મુશ્કેલીઓને દુર કરવા માટે કટીબધ્ધ છીએ તેમણે વિશ્વના દેશોને ભારતનુ સમર્થન કરવા માટે પણ કહ્યુ હતુ. આ બેઠકમા સીરમ ઈંસ્ટીટ્યુટ ભારત બાયોટેક, ઝાયડસ યુનિવર્સ, ડો. રેડીઝ લેબ,બાયોલોજીકલ ઈ લિમિટેડ, કેડિલા હેલ્થ કેર સહિત વિવિધ કંપનીઓના વરિષ્ઠ મહા નિર્દેશકોએ ભાગ લીધો હતો.
