ભારતનું INS વિક્રાંતે શ્રીલંકામાં ચક્રવાત પીડિતોને રાહત પહોંચાડી
Live TV
-
શ્રીલંકામાં તાજેતરમાં આવેલા વિનાશક ચક્રવાત "દિત્વાહ"ના કારણે થયેલા જાનમાલના નુકસાન અને સામાન્ય જનજીવન ખોરવાઈ જવાના પગલે ભારતે "ઓપરેશન સાગર બંધુ" હેઠળ શ્રીલંકાને તાત્કાલિક રાહત અને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું શરૂ કર્યું છે.
ભારતનું સૌથી મોટું સ્વદેશી વિમાનવાહક જહાજ, INS વિક્રાંત, રાહત કામગીરીમાં સામેલ છે.INS વિક્રાંત અને INS ઉદયગિરિ શ્રીલંકાના નૌકાદળના 75મા વર્ષગાંઠ આંતરરાષ્ટ્રીય ફ્લીટ સમીક્ષામાં ભાગ લેવા માટે કોલંબો પહોંચ્યા હતા, પરંતુ તરત જ તેમને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.આવશ્યક રાહત પુરવઠો લઈને INS સુકન્યાને ત્રિંકોમાલીમાં તૈનાત કરવામાં આવ્યું છે.ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેનાના સહયોગથી "ઓપરેશન સાગર બંધુ" હેઠળ વ્યાપક માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી (HADR) ચલાવી રહ્યું છે.જહાજો પર સવાર હેલિકોપ્ટરોએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને શોધ તથા બચાવ કામગીરીને મજબૂત બનાવી, જેના પરિણામે ઘણા શ્રીલંકાના નાગરિકોના જીવ બચાવાયા છે.INS વિક્રાંત અને INS ઉદયગિરિએ જરૂરિયાતમંદ લોકો માટે શ્રીલંકાના અધિકારીઓને રાહત પુરવઠો પહોંચાડ્યો.
આ પહેલ ભારત સરકારના 'સાગર દ્રષ્ટિકોણ' (SAGAR Vision) અને 'પડોશી પ્રથમ નીતિ' (Neighbourhood First Policy) સાથે સુસંગત છે, જે કટોકટીના સમયે પડોશી દેશોને મદદ કરવાની ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.નૌકાદળના જણાવ્યા મુજબ, ભારતીય નૌકાદળનો ઝડપી અને મજબૂત પ્રતિભાવ ફરી એકવાર હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રથમ પ્રતિભાવ આપનાર (First Responder) તરીકેની તેની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.
