ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 14 હજારને પાર
Live TV
-
અત્યાર સુધી 543 લોકોના મોત જ્યારે 2546 લોકો સાજા થયા
ભારતમાં કોરોના વાયરસનો આંકડો 14 હજારને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી 14175 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે મૃતકોની સંખ્યા 543 પર પહોંચી ગઈ છે. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમીલી વેલફેર ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અત્યાર સુધી દેશમાં 14175 લોકો કોરોનાથી પિડાઈ રહ્યા છે જ્યારે 2546 લોકો સાજા થઈને ઘરે ગયા છે. તો આ તરફ મરનારાનો આંકડો ચિંતાજનક રીતી વધીને 543 પર પહોંચ્યો છે.
