ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત
Live TV
-
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે છેલ્લે 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી હતી. પોતાના ચાહકોના સતત પ્રેમ અને સમર્થન માટે આભાર માનતા, પૂજારાએ કહ્યું કે, હું BCCI અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મને ક્રિકેટનું કરિયર બનાવવા માટેની તક આપી અને મારો સાથ આપ્યો તે બદલ હું તેમનો આભારી છું. હું તમામ ટીમો, ફ્રેન્ચાઈઝી અને જે દેશોમાં વર્ષો સુધી રમ્યો તે મારું સંભારણું બની રહેશે. એક દાયકાથી વધુ સમયથી ભારતની ટેસ્ટ ટીમનો આધારસ્તંભ રહેલા પૂજારાની મજબૂત બેટિંગે તેને તેની પેઢીના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાંનો એક બનાવ્યો છે.
