ભારતીય પોષણ કૃષિ કોશની થઈ જાહેરાત
Live TV
-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કરી ઘોષણા
મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ ભારતીય પોષણ કૃષિ કોશ લોન્ચ કર્યો હતો. આ પ્રસંગે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી માતૃવંદના કાર્યક્રમનો લાભ એક કરોડ લાભાર્થી સુધી પહોંચ્યો છે. આ કાર્યક્રમ હેઠળ ગર્ભવતી અને સ્તનપાન કરાવી રહેલી મહિલાઓની પોષણકીય સમસ્યા દૂર કરવાના પ્રયાસ થાય છે. તેને પરિણામે મેટરનલ મોર્ટાલિટી રેટમાં ઘટાડો થયો છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ પ્રોજેક્ટ માટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે સહયોગ કર્યો છે. ભારતીય પોષણ કૃષિ કોશ એક ટકાઉ રીતે આરોગ્યપ્રદ આહારને પ્રોત્સાહન આપવા અને કુપોષણને નિવારવા માગે છે. આ પહેલ સામાજિક, વર્તણૂક અને સાંસ્કૃતિક વ્યવહારની આવશ્યક સમજ પર બનાવવામાં આવશે જે વ્યક્તિગત અને સમુદાય સ્તરે સ્વસ્થ આહાર વર્તણૂકોને પ્રોત્સાહન અને મજબૂતી આપશે.
