ભારત અને વિયેતનામે ડિજિટલ મીડિયામાં ભાગીદારી સ્થાપિત કરવા માટેના પત્ર પર કર્યા હસ્તાક્ષર
Live TV
-
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આજે વિયેતનામ સરકારના માહિતી અને સંદેશાવ્યવહાર મંત્રી ન્ગ્યુએન મનહ હંગ સાથે ડિજિટલ મીડિયાના ક્ષેત્રોમાં સહયોગ અંગેના ઇરાદા પત્ર (LoI) પર હસ્તાક્ષર કર્યા, જે સાથે ભારત અને વિયેતનામ ભાગીદારીને મજબૂત કરવાનો માર્ગ મોકળો કર્યો.
LoI ડિજિટલ મીડિયા અને સામાજિક નેટવર્ક્સ પર નીતિઓ અને નિયમનકારી માળખું સ્થાપિત કરવા અને બંને દેશોમાં મીડિયા વ્યાવસાયિકો અને અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમોનું સંચાલન કરવા માટે માહિતી અને અનુભવની વહેંચણીની કલ્પના કરે છે.
કેન્દ્રીય મંત્રી ઠાકુરના નિવાસસ્થાને બંને મંત્રીઓ વચ્ચેની સૌહાર્દપૂર્ણ ચર્ચામાં ભારત અને વિયેતનામ વચ્ચેના સંબંધોમાં ઉષ્મા પ્રતિબિંબિત થઈ હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીની તાજેતરની વિયેતનામની મુલાકાતોથી ભારત અને વિયેતનામ વચ્ચેના ગાઢ સંબંધો વધુ મજબુત બન્યા છે અને આજની બેઠક દ્વિપક્ષીય સહકારને આકાર આપશે કે જે નવી ટેક્નોલોજી અને પડકારોનું ક્ષેત્ર, જેમ કે "ઇન્ફોડેમિક", જેની સામે તમામ દેશો કોવિડ-19 રોગચાળા દરમિયાન ઝઝૂમી રહ્યા છે. તેમણે વિયેતનામના સમકક્ષને ફેબ્રુઆરી 2021થી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ડિજિટલ મીડિયા એથિક્સ કોડ વિશે પણ માહિતી આપી હતી.
ન્ગ્યુએન મનહ હંગએ અનુરાગ ઠાકુરને વિયેતનામ આવવા આમંત્રિત કર્યા હતા અને સફળતાની બાબતોના વ્યાપક પ્રસાર અને લોકો વચ્ચેના મજબૂત સંબંધો માટે બંને દેશોના પત્રકારોને એકબીજાના રાષ્ટ્રોમાં સામાજિક-આર્થિક વિકાસ વિશે માહિતી મેળવવા સક્ષમ બનાવવા વિશે વાત કરી હતી. આ બેઠકમાં પ્રસારભારતીના સીઈઓ શશિ શેખર વેમ્પતી, જયદીપ ભટનાગર, પ્રિન્સિપાલ ડીજી, પીઆઈબી; અને વિક્રમ સહાય, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ, ભારતીય અને વિયેતનામી પક્ષના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષ ભારત અને વિયેતનામ વચ્ચે "વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી"ના પાંચ વર્ષ પૂર્ણ કરે છે અને વર્ષ 2022 બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોના પચાસ વર્ષ પૂરા કરશે.
