ભારત પોતાની શક્તિ સહિષ્ણુતાથી પ્રાપ્ત કરે છે : પ્રણવ મુખર્જી
Live TV
-
નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિક્ષણ વર્ગના કાર્યક્રમને સંબોધન કરતાં પ્રણવ મુખરજી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કહ્યું છે કે ભારત પોતાની શક્તિ સહિષ્ણુતાથી પ્રાપ્ત કરે છે અને વિવિધતા તેને વિશેષ બનાવે છે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિક્ષણ વર્ગના કાર્યક્રમને સંબોધન કરતાં પ્રણવ મુખરજીએ રાષ્ટ્રવાદ અને દેશભક્તિ પર પોતાના વિચારોને વાચા આપી હતી. તેમણે કહ્યું કે, ભારતીય રાષ્ટ્રવાદના મૂળ વસુધૈવ કુટુમ્બકમ , સમાવેશ અને સહઅસ્તિત્સવમાં પડેલા છે. આ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ સંઘના સ્થાપક કેશવ બલિરામ હેગડેવારના જન્મ સ્થળે ગયા હતા. આર.એસ.એસ.ના વડા મોહન ભાગવતે તેમનું સ્વાગ કર્યું હતું.
