ભૈય્યુજી મહારાજના અંતિમ દર્શન માટે મુકાયું પાર્થિવ શરીર
Live TV
-
અંતિમ દર્શન કરવા માટે લાગી ભીંડ
આધ્યાત્મિક ગુરૂ ભૈય્યુજી મહારાજે ગઇ કાલે મંગળવારે મધ્ય પ્રદેશમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઇન્દોરના સંત ભૈય્યુજી મહારાજનો અંતિમ સંસ્કાર આજે બપોરે બુધવારે 2.30 કલાકે રાખવામાં આવ્યો છે. તે પહેલા સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે સુર્યોદય આશ્રમમાં રાખવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર ભૈયુજી મહારાજે મંદીરના એક રૂમમાં આત્મહત્યા કરી હતી. દરવાજો તોડીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. તેમના આ રૂમમાંથી નાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, ' મારા પરિવારનું ધ્યાન રાખજો, હુ આ દુનિયા છોડીને જઇ રહ્યો છું, હું હાલ બહુ જ ચિંતાજનક સ્થિતિમાં છું જેને સહન નથી કરી શકતો.'
